Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

એડજસ્ટ એવરીવ્હેર
એડજસ્ટ એવરીવ્હેર
એડજસ્ટ એવરીવ્હેર
Ebook67 pages26 minutes

એડજસ્ટ એવરીવ્હેર

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

ગટર ગંધાય છે ત્યારે આપણે ફરિયાદ કરીએ છીએ? તેજ રીતે અણગમતા અને નકારાત્મક લોકો ગટર જેવા છે. જે પણ ગંધાય છે તેને આપણે ગટર કહીએ છીએ અને જે સુવાસ આપે છે તેને આપણે ફુલ કહીએ છીએ. બન્ને માં એડજેસ્ટ થાઓ. છતાં બન્ને પરિસ્થિતિઓ કહે છે “અમારી પ્રત્યે વીતરાગ (રાગ અને દ્વેષ થી મુક્ત) રહો”. આપણી જિંદગી માં ઘણી વાર અણગમતી પરિસ્થિતિઓ માં આપણે બધા એડજેસ્ટ થયા છીએ. દાખલા તરીકે, આપણે વરસાદ માં છત્રી વાપરીએ છીએ. પણ આપણે વરસાદ ને સવાલો નથી પૂછતા, દલીલો નથી કરતા કે તેનો વિરોધ નથી કરતા. તેજ રીતે, આપણને ભણવામાં આનંદ આવે કે ન આવે, આપણે ભણતર ને એડજેસ્ટ થવું પડે છે. છતાંપણ, અણગમતા લોકો નો સવાલ આવે છે ત્યારે આપણે ફક્ત સવાલ, દલીલ, અને વિરોધ પર નથી અટકતા પણ મોટે ભાગે અથડામણ કરી બેસીએ છીએ. આવું શા માટે? સતત બદલાતા સંજોગો સાથે સુમેળ સાધી, અથડામણો ટાળી અંતે શાંતિ અને સુખ મેળવવા માટે ની છેવટ ની સમજણ તરીકે પરમ પૂજ્ય દાદાશ્રીએ “એડજેસ્ટ એવરીવેર” ઉઘાડું કર્યું. આ સાદા છતાં શક્તિશાળી વાક્ય માં તમારું જીવન બદલવા ની શક્તિ છે.. કેવી રીતે તે જાણવા માટે વાંચો.

Languageગુજરાતી
Release dateJul 21, 2016
ISBN9789385912405
એડજસ્ટ એવરીવ્હેર

Related to એડજસ્ટ એવરીવ્હેર

Related ebooks

Reviews for એડજસ્ટ એવરીવ્હેર

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    એડજસ્ટ એવરીવ્હેર - Dada Bhagwan

    www.dadabhagwan.org

    દાદા ભગવાન કથિત

    એડજસ્ટ એવરીવ્હેર

    સંકલન : ડૉ. નીરુબેન અમીન

    ©All Rights reserved - Deepakbhai Desai

    Publisher: Dada Bhagwan Aradhana Trust

    સંપાદકીય

    સંપાદકીય

    જીવનમાં સમજીને દરેક પ્રસંગે આપણે જાતે જ સામાને એડજસ્ટ નહિ થઈ જઈએ તો ભયંકર અથડામણ થયા જ કરશે. જીવન વિષમય જશે અને અંતે તો જગત મારી-ઠોકીનેય એડજસ્ટમેન્ટ આપણી પાસેથી લેવડાવશે જ ! મને-કમને એડજસ્ટ થવું જ પડે જ્યાં-ત્યાં આપણે સામે ચાલીને, તો સમજીને કેમ ના એડજસ્ટ થવું કે જેથી કેટલીય અથડામણો ટાળી શકાશે ને સુખ-શાંતિ સ્થપાશે !

    Life is nothing but adjustments. (જીવન એ બીજું કશું નથી, માત્ર એડજસ્ટમેન્ટ છે.) જન્મ્યા ત્યાંથી મરતાં સુધી એડજસ્ટમેન્ટ લેવાં જ પડે, પછી રડીને લો કે હસીને ! ભણવાનું ગમે કે ના ગમે પણ એડજસ્ટ થઈને ભણવું જ પડે. પરણતાં કદાચ ખુશ થઈને પરણીએ પણ પરણ્યા પછી આખી જીંદગી પતિ-પત્નીએ સામસામા એડજસ્ટમેન્ટ લેવાં જ પડે છે. બે ભિન્ન પ્રકૃતિઓએ આખી જિંદગી ભેગા રહી, પડ્યું પાનું નિભાવવાનું હોય છે. આમાં એકબીજાને બધી રીતે એડજસ્ટ થઈ જાય જિંદગીભર, આ કાળમાં એવાં કોણ ભાગ્યશાળી હશે ? અરે, રામચંદ્રજી અને સીતાજીને પણ કેટલીય જગ્યાએ ડિસ્એડજસ્ટમેન્ટ નહોતાં થયાં ? સોનેરી હરણ અને અગ્નિપરીક્ષા ને ગર્ભવતી હોવાં છતાં જંગલમાં હકાલપટ્ટી ! એમણે કેવાં એડજસ્ટમેન્ટ લીધાં હશે ?

    મા-બાપ અને છોકરાં એ એકબીજા સાથે ડગલે ને પગલે શું એડજસ્ટમેન્ટ નથી લેવાં પડતાં ? જો સમજીને એડજસ્ટ થઈ જાય તો શાંતિ રહે ને કર્મ ના બાંધે. કુટુંબમાં, ફ્રેન્ડસ્માં, ધંધામાં, બધે જ, બોસ જોડે કે વેપારી કે દલાલ જોડે કે તેજી-મંદીના વાયરાઓ જોડે આપણે એડજસ્ટમેન્ટ ના લઈએ તો કેટલાં દુઃખના ડુંગરો ખડકાય ?

    માટે ‘એડજસ્ટ એવરીવ્હેર’ની માસ્ટર કી લઈને જે જીવે, તેને જીવનમાં કોઈ તાળું ના ખૂલે એવું ના બને. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રીનું સોનેરી સૂત્ર ‘એડજસ્ટ એવરીવ્હેર’ જીવનમાં એડજસ્ટ કરી દઈએ તો સંસાર સુખમય થઈ જાય !

    - ડૉ. નીરુબેન અમીન

    ‘દાદા ભગવાન’ કોણ ?

    જૂન ઓગણીસસો અઠ્ઠાવનની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં. ૩ પરનાં રેલવેનાં બાંકડા પર બેઠેલા અંબાલાલ મૂળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા ! અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું ! ‘આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? ’ઈ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં

    Enjoying the preview?
    Page 1 of 1