Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $11.99/month after trial. Cancel anytime.

અભિષેકનાં પગથિયાં
અભિષેકનાં પગથિયાં
અભિષેકનાં પગથિયાં
Ebook266 pages1 hour

અભિષેકનાં પગથિયાં

Rating: 1 out of 5 stars

1/5

()

Read preview

About this ebook

શું તમે અભિષિક્ત થવાની ઇચ્છા રાખો છો? આ ઐતિહાસિક પુસ્તકમાં, ડૉ. હેવર્ડ-મિલ્સ, અભિષેક મેળવવાના ઘણા પગલાંઓને વહેંચે છે. આ પુસ્તક ચોક્કસપણે તમને અને તમારા સેવાકાર્યને માટે આશીર્વાદરૂપ નીવડશે. અભિષિક્ત થવા માટે તમારે જે પગલા લેવાની જરૂર છે તે શોધો!

Languageગુજરાતી
Release dateAug 14, 2018
ISBN9781641346115
અભિષેકનાં પગથિયાં
Author

Dag Heward-Mills

Bishop Dag Heward-Mills is a medical doctor by profession and the founder of the United Denominations Originating from the Lighthouse Group of Churches (UD-OLGC). The UD-OLGC comprises over three thousand churches pastored by seasoned ministers, groomed and trained in-house. Bishop Dag Heward-Mills oversees this charismatic group of denominations, which operates in over 90 different countries in Africa, Asia, Europe, the Caribbean, Australia, and North and South America. With a ministry spanning over thirty years, Dag Heward-Mills has authored several books with bestsellers including ‘The Art of Leadership’, ‘Loyalty and Disloyalty’, and ‘The Mega Church’. He is considered to be the largest publishing author in Africa, having had his books translated into over 52 languages with more than 40 million copies in print.

Related to અભિષેકનાં પગથિયાં

Related ebooks

Reviews for અભિષેકનાં પગથિયાં

Rating: 1 out of 5 stars
1/5

1 rating0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    અભિષેકનાં પગથિયાં - Dag Heward-Mills

    પ્રકરણ ૧

    તમારે અભિષેક પામવો જ જોઈએ તેનાં સાત કારણો

    તમારે અભિષેક પામવો જ જોઈએ કારણ કે કોઈ પણ વ્યક્તિ તેનું સેવાકાર્ય કુદરતી શક્તિથી કે માનવી સામર્થ્યથી નહિ પણ આત્મા વડે જ પૂરું કરી શકે છે.

    ત્યારે તેણે મને કહ્યું કે, ઝરુબ્બાબેલને યહોવાનું વચન એ છે કે, પરાક્રમથી નહિ, તેમ બળથી પણ નહિ, પણ મારા આત્માથી, એવું સૈન્યોનો દેવ યહોવા કહે છે.

    ઝખાર્યા ૪:૬

    સાચું સેવાકાર્ય ફક્ત પવિત્ર આત્માના સામર્થ્યથી જ સફળ થશે. જૂઠું સેવાકાર્ય એક શાળાનો શિક્ષક, પ્રાધ્યાપક અથવા ઉત્સાહિત કરનાર વક્તા દ્વારા ચાલે છે. અભિષેક પામેલી વ્યક્તિ બનીને સાચા સેવાકાર્યમાં દાખલ થવાનો નિર્ણય કરો.

    અભિષેકના સામર્થ્ય વડે તમારા સેવાકાર્યને ઉપર ઉઠાવો. અભિષેક સિવાય તમે કશું કરી શકતા નથી.

    તમારે અભિષેક પામવો જોઈએ, કારણ ઈસુ ખ્રિસ્તે પણ તેમનું સેવાકાર્ય શરૂ કરતાં પહેલાં રાહ જોઈ હતી.

    હવે સર્વ લોક બાપ્તિસ્મા પામી રહ્યા પછી ઈસુ પણ બાપ્તિસ્મા પામીને પ્રાર્થના કરતો હતો, એટલામાં આકાશ ઉઘડી ગયું અને પવિત્ર આત્મા કબૂતરરૂપે તેના પર ઉતર્યો; અને આકાશમાંથી એવી વાણી થઈ કે, તું મારો વહાલો દીકરો છે; તારા પર હું પ્રસન્ન છું. ઈસુ પોતે બોધ કરવા લાગ્યો, ત્યારે તે આશરે ત્રીસ વર્ષનો હતો અને ધાર્યા પ્રમાણે તે યૂસફનો દીકરો હતો.

    લૂક ૩:૨૧-૨૩

    આ બનાવ ખ્રિસ્તના સેવાકાર્યની શરૂઆત અંકિત કરે છે. ત્રીસ વર્ષની ઉંમર સુધી આપણે તેમના વિષે કંઈ સાંભળતા નથી. આ સમયથી, જયારે પવિત્ર આત્મા તેમની ઉપર ઊતર્યો (અભિષેક) ત્યારથી ઈસુ ઉપદેશ કરવા લાગ્યા, શીખવવા લાગ્યા અને સાજા કરવા લાગ્યા.

    તમારે અભિષેક પામવો જોઈએ, કરણ કે શિષ્યોને પણ તેમનું સેવાકાર્ય શરૂ કરતાં પહેલાં પવિત્ર આત્મા (અભિષેક) માટે થોભવાનું કહેવામાં આવ્યું હતું

    તેણે તેઓની સાથે ભેગા થઈને તેઓને આજ્ઞા કરી કે, યરૂશાલેમથી જતા ના, પણ બાપનું જે વચન તમે મારા મુખથી સાંભળ્યું છે તેની વાટ જોતા રહેજો.

    પ્રેરિતોના કૃત્યો ૧:૪

    પવિત્ર આત્મા સિવાય કયા પ્રકારનું સેવાકાર્ય તમે કરી શકશો એમ ધારો છો? જે મહાન પ્રેરિતો ખ્રિસ્તની સાથે ચાલ્યા હતા તેઓને પણ સેવાકાર્ય માટે એ મેળવવાની જરૂર પડી હતી.

    તમારે અભિષેક પામવો જોઈએ, કારણ એલિશા જેવા મહાન પ્રબોધકોને પણ તેઓને પણ તેમને જે જોઈતું હોય તે માગવાની તક આપવામાં આવી ત્યારે તેમણે અભિષેક પામ્યો હતો.

    એલિશાએ સ્વીકાર્યું કે સેવાકાર્ય ફક્ત અભિષેક દ્વારા જ સિદ્ધ થતું હતું. જયારે એલિયાએ તેને જે જોઈએ તે માગવાનું કહ્યું ત્યારે તેણે અભિષેકનો બમણો હિસ્સો પ્રાપ્ત કરવાની ઈચ્છા દર્શાવી.

    તેઓ પાર ઊતર્યા પછી એમ થયું કે એલિયાએ એલિશાને કહ્યું કે, તારી પાસેથી મને લઈ લેવામાં આવે તે પહેલાં તું માગ કે હું તારે માટે શું કરું. એલિશાએ કહ્યું કે, કૃપા કરીને તારા આત્માનો બમણો હિસ્સો મારા પર આવે.

    ૨ રાજાઓ ૨:૯

    તે બીજી ઘણી વસ્તુઓ માગી શક્યો હોત. તે એલિયાનું પ્રખ્યાત નામ કે નાણા માગી શક્યો હોત, તે એલિયાની મિલકત કે કાર કે એલિયાની પત્ની માગી શક્યો હોત. પણ વર્ષો સુધી એલિયા સાથે સમય વિતાવ્યા પછી એલિયા જાણતો હતો કે તેના સેવાકાર્યનું રહસ્ય શેમાં રહેલું છે. તે જાણતો હતો કે બધો અભિષેકનો જ પ્રતાપ હતો તેથી તેણે તેના બમણા હિસ્સાની માગણી કરી. મહાન પ્રબોધકોએ અભિષેકની માગણી કરી ત્યારે તમે કેમ બીજું કંઈક શોધો છો?

    તમારે અભિષેક પામવો જોઈએ કારણ કે શાઉલ રાજાનો પણ અભિષેક ન થયો ત્યાં સુધી તે બદલાઈને "જુદા જ માણસ"માં રૂપાંતર પામ્યો ન હતો.

    શાઉલનો જયારે અભિષેક થયો ત્યારે તે એક સામાન્ય માણસમાંથી બદલાઈને રાજા બની ગયો. એ જ રીતે જયારે તમે અભિષેક પામશો ત્યારે તમે ઈશ્વરના રાજ્યમાં એક અધિકારયુક્ત માણસ (રાજા) બની જશો.

    લોકોને ભોળવવા અને તેમની ઉપર અધિકાર જમાવવા તમે બીજી ઘણી પદ્ધતિઓ ઉપયોગમાં લઈ શકો છો પણ અભિષેક વગર તમે કદી અધિકારયુક્ત માણસ બની શકશો નહિ. પવિત્ર આત્માનો અભિષેક તમને બીજા માણસમાં રૂપાંતર પમાડશે.

    પછી શમુએલે તેલની કુપ્પી લઈને તેમાંથી શાઉલના માથા પર તેલ રેડ્યું, ને તેને ચુંબન કરીને કહ્યું કે, શું યહોવાએ પોતાના વતન પર સરદાર થવા સારું તેને અભિષિક્ત કર્યો નથી?

    ૧ શમુએલ ૧૦:૧

    એ વખતે યહોવાનો આત્મા પરાક્રમ સહિત તારા પર આવશે, ને તેઓની સાથે તું પણ પ્રબોધ કરશે, ને તું બદલાઈને જુદો જ માણસ થઈ જશે.

    ૧ શમુએલ ૧૦:૬

    તમારે અભિષેક પામવો જોઈએ કેમ કે અભિષિક્ત થયેલ ગીતકર્તા અને પવિત્રશાસ્ત્રના એક લેખક એવા દાઉદ રાજાએ પણ તેના બધા આશીર્વાદોને પવિત્ર અભિષેક સાથે સંબંધિત ગણાવ્યાં છે.

    દાઉદે તેના જીવનના લગભગ દરેક પાસાંને અભિષેક સાથે સાંકળ્યું છે. અતિ આત્મિક માણસો તેમના જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં અભિષેકની જોરદાર અસરો હોવાનું કબૂલ કરે છે.

    નેવ્યાસીમાં ગીતમાં દાઉદ રાજાએ આપણે સૌથી સુંદર ગીતોમાંનું એક ગીત ગાતો સાંભળીએ છીએ. એ ગીતમાં તેના જીવનમાં અભિષેકની જોરદાર અસરોનું તે વર્ણન કરે છે. તે કહે છે કે અભિષેકમાંથી જ તેને મદદ, સામર્થ્ય, સ્થાપન, ઉન્નતિ અને અધિકાર પ્રાપ્ત થયાં છે.

    જો અભિષિક્ત ગીતકર્તાને આ બધી બાબતો અભિષેકમાંથી મળી હોય તો એ જ બાબતો અભિષેક વગર મળશે એવું તમે કેવી રીતે ધારી શકો? દાઉદ રાજાએ પોકાર કર્યો કે, પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતો નહિ ત્યારે તમે તેનો વાંક કાઢશો?

    તારી સંમુખથી મને કાઢી મૂકતો નહિ; અને તારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતો નહિ.

    ગીતશાસ્ત્ર ૫૧:૧૧.

    પવિત્ર આત્મા (અભિષેક) તેને માટે સૌથી મૂલ્યવાન બાબત હતી.

    અભિષેક અગત્યનો છે, કારણ મૂસાએ તેના વગર સેવાકાર્ય ચાલુ રાખવાની ના પાડી હતી.

    જો મૂસા અભિષેક વગર એક પગલું ભરી શકતો ન હોય તો તેના વગર તમારું સેવાકાર્ય કરવાનો આત્મવિશ્વાસ તમે કેવી રીતે રાખી શકો?

    નિર્ગમનના પુસ્તકમાં આપણે જોઈએ છીએ કે મૂસાએ કેવી રીતે જો ઈશ્વર તેમનું સામર્થ્ય અને અભિષેક લઈ લે તો તેની સેવા આગળ ધપાવવાની ના પાડી.

    મૂસા જયારે સમક્ષતાની વાત કરતો હતો ત્યારે તે ઈશ્વરના અભિષેક અને સામર્થ્યની વાત કરતો હતો.

    અને તેને તેને કહ્યું કે, જો તારી સમક્ષતા સાથે ન આવે તો અમને અહીંથી લઈ ના જા. કેમ કે હવે કેમ જણાય કે હું તથા તારા લોક તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યા છીએ? શું એથી નહિ કે, તું અમારી સાથે આવે છે, એથી હું તથા તારા લોક પૃથ્વી ઉપરના સર્વ લોકથી જુદા છીએ?

    અને યહોવાએ મૂસાને કહ્યું કે, જે વાત તું બોલ્યો છે તે પ્રમાણે પણ હું કરીશ; કેમ કે તું મારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છે, ને હું તને નામે ઓળખું છું. અને તેણે કહ્યું કે, કૃપા કરીને તારું ગૌરવ મને દેખાડ. અને તેણે કહ્યું કે, હું મારી સઘળી ભલાઈનું દર્શન તને કરાવીશ, ને હું તારી આગળ યહોવાનું નામ પ્રગટ કરીશ; અને જેના પર હું કૃપા કરવા ચાહું તેના પર હું કૃપા કરીશ, ને જેના પર રહેમ કરવા ચાહું તેના પર રહેમ કરીશ.

    નિર્ગમન ૩૩:૧૫-૧૯.

    પ્રકરણ ૨

    તમારા સેવાકાર્ય પર અભિષેકની પંદર જોરદાર અસરો

    ત્યારે તેં દર્શનમાં તારા ભક્તોને કહ્યું કે, જે પરાક્રમી છે તેને મેં સહાય કરી છે; અને લોકોમાંથી પસંદ કરેલાંને મેં ઊંચો કર્યો છે.

    મારો સેવક દાઉદ મને મળ્યો છે; મારા પવિત્ર તેલથી મેં તેને અભિષિક્ત કર્યો છે; તેના પર મારો હાથ હમેશા રહેશે; મારો ભુજ તેને સામર્થ્ય આપશે.

    ગી.શા. ૮૯: ૧૯-૨૨.

    જૂના કરારના સૌથી સુંદર ગીતોમાંના એક ગીતમાં દાઉદ રાજા છે તેને અભિષિક્ત કરવામાં આવ્યો હતો તેથી તેને જે આશીર્વાદો મળ્યા હતા તેના વિષેનું ગીત ગાય છે.

    મારા અનુભવ પ્રમાણે, હું જોઉં છું કે ઘણા ઓછા માણસો તેમના આશીર્વાદોને તેના ખરેખર સ્રોત સાથે સાંકળે છે. તેઓ જાણતા નથી કે ક્યાંથી અને કેવી રીતે તેઓ આજે જે સ્થિતિએ છે ત્યાં પહોંચ્યા છે અને તેઓની પાસે જે કંઈ છે તે કેવી રીતે આવ્યું છે. આ વસ્તુ જ ઘણીવાર કૃત્ઘનતા અને વિદ્રોહનો પાયો બને છે. હું માનું છું કે બધા આશીર્વાદોના સ્રોત વિષે ઊંડાણથી વિચારવું અને તેને ઓળખવું એક અગત્યનો સદગુણ છે.

    દાઉદ કેવી રીતે તેની સર્વ ફાયદાકારક બાબતોને અભિષેક સાથે લાગુ કરે છે તે વાંચવાનું અદભૂત છે. તે અભિષેકને બહુ જ કીમતી બાબત ગણે છે અને પોતાને વારંવાર ઈશ્વરના અભિષિક્ત તરીકે ઓળખાવે છે.

    તમારા જીવન અને સેવાકાર્ય ઉપર ઈશ્વરના અભિષેકના મૂલ્યને જોવા માટે ઈશ્વર તમારી આંખો ઉઘાડો. હું માનું છું કે જો વધારે સેવકોને જોવા મળે કે અભિષેકે શું કર્યું છે તો તેઓ તો તે મેળવવાની ઈચ્છા કરશે અને બીજી કોઇપણ બાબત કરતાં તેને વધારે અગ્રિમતા આપશે. જો દાઉદના જીવન ઉપર અભિષેકની આવી અસર હોય તો અભિષેકની તમારા જીવન અને સેવાકાર્ય ઉપર એવી જ અસરો થશે તેની અપેક્ષા રાખો.

    અભિષેકના પરિણામો તમને તમારા જીવન અને સેવાકાર્ય માટે અલૌકિક મદદ મળશે.

    દાઉદ સમજતો હતો કે તેના અભિષેકના કારણે જ તેના રાજા તરીકેના સેવાકાર્યને મદદ મળી રહે છે. તેણે કહ્યું,

    જે પરાક્રમી છે તેને મેં સહાય કરી શે.

    ગીતશાસ્ત્ર ૮૯:૧૯(બ).

    અભિષેક તમને તમારા સેવાકાર્યમાં વધુ ઊંચાઈઓ ઉપર લઈ જશે.

    દાઉદે તેની ઉન્નતિને તેના અભિષેકના પરિણામરૂપે જોઈ.

    ... લોકોમાંથી પસંદ કરેલાંને મેં ઊંચો કર્યો છે.

    ગીતશાસ્ત્ર ૯૮:૧૯(ક).

    અભિષેક તમને સેવાકાર્યમાં સ્થાપિત કરશે.

    એક સેવાકાર્ય જે ઈશ્વર દ્વારા સ્થપાયું છે અને બીજું જે ઈશ્વરથી સ્થપાયેલું નથી તે વચ્ચેનો તફાવત તમે ચોખ્ખો જોઈ શકશો. દાઉદ રાજા તેના અભિષેકના કારણે જ સ્થાપિત થયો.

    મારો સેવક દાઉદ મને મળ્યો છે; મારા પવિત્ર તેલથી મેં તેને અભિષિક્ત કર્યો છે. તેના પર મારો હાથ હંમેશા રહેશે.

    ગીતશાસ્ત્ર ૮૯:૨૦-૨૧

    અભિષેક તમારા સેવાકાર્યમાં સામર્થ્ય લાવશે.

    ઘણીવાર સેવકો તેમના ઉપદેશ અને સેવાકાર્યમાં નબળા હોય છે. સંદેશો આપવામાં જે સામર્થ્ય હોય અને લોકોનાં જીવનોમાં પરિવર્તન લાવનારું જે પરાક્રમ હોય તેનો અભાવ હોય છે. અભિષેક તમારા જીવન અને સેવાકાર્યમાંથી દરેક પ્રકારની નિર્બળતા દૂર કરશે.

    દાઉદ રાજાએ અનુભવ્યું કે અભિષેકના કારણે તે વધારે મજબૂત બનતો જતો હતો. તેણે કહ્યું,

    ...મારો ભુજ તેને સામર્થ્ય આપશે.

    ગીતશાસ્ત્ર ૮૯:૨૧.

    અભિષેક તમને છેતરાવાથી બચાવશે.

    સેવકોને જે દુષ્ટ બાબત નડે છે તે તો છેતરપીંડી છે. છેતરપીંડી વિકસીને સેવાકાર્યમાં અંધાપો અને ઢોંગ લાવે છે. ઘણા અનુભવી સેવકોને તેમની મોટી ભૂલો દેખાતી નથી. તેઓ એક નાનું જીવડું જોઈને તેને દૂર કરી શકે છે પણ ઊંટ જેવું મોટું પ્રાણી જયારે આવે છે ત્યારે તેને જોઈ શકતા નથી.

    ઓ આંધળા દોરનારાઓ, તમે મચ્છરને ગાળી કાઢો છો, પણ ઊંટને ગળી જાઓ છો

    માથ્થી ૨૩:૨૪.

    ઈસુએ બહુ કડક શબ્દોમાં અનુભવી સેવકોની તેમના છળ, અમુક ક્ષેત્રોમાં અંધાપો અને પરિણામે ઉદભવતા ઢોંગ બદલ ઝાટકણી કાઢી.

    ઓ આંધળા દોરનારાઓ, તમને અફસોસ છે!

    માથ્થી ૨૩:૧૬.

    ઓ મૂર્ખો તથા આંધળાઓ...

    માથ્થી ૨૩: ૧૭.

    ઓ આંધળાઓ...

    માથ્થી ૨૩:૧૯.

    ઓ આંધળા દોરનારાઓ..

    માથ્થી ૨૩:૨૪.

    ઓ આંધળા ફરોશી...

    માથ્થી ૨૩:૨૬.

    તેમ છતાં દાઉદ રાજાને લાગ્યું કે અભિષેકના કારણે જ તે મહાનિરાશાને પાર કરી શક્યો છે, શત્રુ તેનું નુકશાન કરી શકશે નહિ (ગીટશાસ્ત્ર ૮૯:૨૨). અભિષેકના કારણે તમારો પણ ઢોંગથી છુટકારો થાઓ.

    અભિષેક તમને શેતાનની પીડાઓથી છોડાવશે.

    દાઉદ માનતો હતો કે અભિષેકના લીધે માંદગી અને બીજી વેદનાઓ તેને

    Enjoying the preview?
    Page 1 of 1